મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમના ઘર પર રવિવાર રાત્રે અજ્ઞાત વ્યક્તિઓએ પેટ્રોલ બોમ્બ ફેક્યો છે. પોલીસે આ માહિતી આપી છે. તેમણે કહ્યુ કે, આ ઘટના રવિવારે રાત્રે લગભગ સવા વાગ્યે ઘટી, જ્યારે વાહન પર બેસીને ત્યાંથી પસાર થઇ રહેલા ઉપદ્રવી લોકોએ શિલોંગના થર્ડ માઇલમાં આવેલા મુખ્યમંત્રીના વ્યક્તિગત નિવાસ પરિસરમાં પેટ્રોલથી ભરેલી બે બોટલ ફેંકી છે. જિલ્લાના એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યુ કે, આ ઘટનામાં કઇની જાનહાની થઇ નથી.
પહેલી બોટલ પરિસરના આગળના હિસ્સામાં જ્યારે બીજી બોટલ પાછળના હિસ્સામાં ફેંકવામાં આવી હતી. જોકે, ચોકીદારે તરત જ આગ બુઝાવી દીધી હતી. સ્વતંત્રતા દિવસ પર રાજ્યની રાજધાની અને આજુબાજુના વિસ્તારોમાં તોડફોડ અને આગજની બાદ રાજ્ય સરકારે શિલોંગમાં કર્ફ્યુ લગાવી દીધો છે અને ઓછામાં ઓછા 4 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
મેઘાલયમાં પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મૃત્યુ બાદ હિંસા વધી રહી છે. બદમાશોએ 3 માઈલ અપર શિલોંગ સ્થિત, લાઈમર સ્થિત મુખ્યમંત્રી આવાસ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. હિંસક ઘટનાઓ બાદ શિલોંગમાં સંપૂર્ણપણે કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના અન્ય કેટલાય વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ રોકી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 17મી ઓગષ્ટે સવારના 5:00 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મૃત્યુ બાદ હિંસા વધી રહી છે. રાજ્યમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી લખન રિંબુઈએ રાજીનામુ આપી દીધું હતું. સીએમ સંગમાને લખેલા પત્રમાં રિંબુઈએ લખ્યું હતું કે, હું એ ઘટના અંગે દુખ વ્યક્ત કરું છું જેમાં પોલીસે દરોડા બાદ ચેસ્ટરફીલ્ડને કાયદાના વૈધ સિદ્ધાંતો વિરૂદ્ધ કાર્યવાહી દરમિયાન મારી નાખ્યો.