મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષોમાં 4,605 મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં આ જાણકારી આપી હતી. શિંદેએ જણાવ્યું કે,સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચવામાં આવેલી એક સમિતિ ગર્ભાશય કાઢવાના મામલાની તપાસ કરશે.
ખેત મજૂર મહિલાઓના કેસ વધારેઃ
શિવસેના ધારાસભ્ય નીલમ ગોર્હેએ વિધાન પરિષદમાં આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, બીડ જિલ્લામાં શેરડીના ખેતરમાં કામ કરનારી મહિલાઓના ગર્ભાશય કઢાયા છે, જેથી તેમના કામમાં કચાશ ન આવી શકે.
99 પ્રાઈવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાયાઃ
શિંદેએ ગૃહને જણાવ્યું કે, જિલ્લામાં નોર્મલ ડિલીવરીની સંખ્યા સિઝેરિયનની સંખ્યા ઘણી વધારે છે. બીડ જિલ્લાના સિવિલ સર્જનની અધ્યક્ષતા માં રચાયેલી સમિતિએ તપાસ કરી તો આ પ્રકારના ઓપરેશન 2016-17થી 2018-19 વચ્ચે 99 સામાન્ય હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. તેમને કહ્યું કે, જે મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા છે, તેમાથી મોટા ભાગની મહિલાઓ શેરડીના ખેતરમાં કામ કરતી મહિલાઓ છે.
તપાસ ટીમમાં 3 ગાયનોકોલોજિસ્ટઃ
મુખ્ય સચિવની નેતૃત્વવાળી સમિતિમાં 3 ગાયનોકોલોજિસ્ટ અને મહિલા ધારાસભ્યો પણ હશે. સમિતિ બે મહિનામાં તેમનો રિપોર્ટ રજૂ કરશે. રાજ્ય સરકારે તમામ ડોક્ટરોને આદેશ કર્યો હતો કે તે બિનજરૂરી રીતે ગર્ભાશય ન કાઢે. રાષ્ટ્રીય મહિલા પંચે એપ્રિલમાં આ મામલો સામે આવ્યા બાદ રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી હતી.