શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. 2 ઓક્ટોબરના રોજ એનસીબી દ્વારા આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનનું એનસીબી લોકઅપમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું
એનસીબી ના ઝોનલ હેડ સમીર વાનખેડેએ આર્યન ખાનનું કાઉન્સિલિંગ કર્યું હતું.આર્યન ખાને સમીર વનખેડેને કહ્યું કે હું હવે સારો વ્યક્તિ બનીશ સારું કામ કરીશ ગરીબ લોગોની મદદ કરીશ અને તમને મારા પર ગર્વ થશે એવું વ્યક્તિ બનીને બતાવીશ.એવું વચન એનસીબી ના હેડ સમીર વનખેડેને આપ્યું છે.
NCB એ મુંબઈમાં ક્રુઝ પાર્ટી પર દરોડા પાડ્યા. આર્યન ખાન સહિત આઠ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટના જૂતામાં ડ્રગ્સ મળી આવી હતી. એનસીબીની પૂછપરછ દરમિયાન આર્યન ખાને સ્વીકાર્યું કે તે ચરસ લે છે. 7 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. આર્યન ખાન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં છે.
જામીન અરજી પર સુનાવણી 20 ઓક્ટોબરે થશે
કોર્ટે 14 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી અનામત રાખી હતી. જામીન અરજી પર નિર્ણય 20 ઓક્ટોબરે આવશે. 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી કોર્ટમાં રજા છે.