વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિધાનસભાનાં ચૂંટણી (Assembly elections)પહેલા બિહાર માટે લોભામણી જાહેરાતો કરવાનું ચાલુ કર્યું છે. આજે તેમણે બિહારને 14 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી જેમાં 9 હાઈવે પ્રોજેક્ટ સાથે બિહારનાં અંદાજિત 46 હજાર ગામોને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી જોડવા માટે ‘ઘર તક ફાઈબર’ યોજનાનું ઉદ્ઘાટન કર્યુ. વડાપ્રધાને પોતાના સંબોધનમાં બિહારનાં લોકોને શુભકામનાઓ આપી જણાવ્યુ કે, આજનો દિવસ બિહાર (Bihar) સાથે દેશ અને યુવાનો માટે મોટો દિવસ છે. આજે આપણો દેશ, ગામો આત્મનિર્ભર ભારતને મુખ્ય આધાર બનાવવા માટે એક મહત્વનું પગલું ભરી રહ્યુ છે અને તેની શરૂઆત આજે બિહારથી થઈ રહી છે.
આ યોજનામાં હાઈવેને ફોર લેન અને છ લેન બનાવવા તથા નદીઓ પર ત્રણ પુલોને બનાવવાનું નિર્માણ કાર્ય શામેલ છે અને તે માટે મોદીએ બિહારવાસીઓને શુભકામનાઓ આપી. આ યોજના દ્વારા 1 હજાર દિવસોમાં દેશનાં 6 લાખ ગામોને ઓપ્ટિકલ ફાયબર સાથે જોડવામાં આવશે એવું વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ. તેમણે ક્હયુ કે, ભારતનાં ગામોમાં ઇન્ટરનેટનાં ઉપયોગ કરનાર લોકોની સંખ્યા શહેરી કરતા વધું થશે તે થોડાક સમય પહેલા વિચારવું મુશ્કેલ હતુ પરંતુ હવે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ (Internet use) કરતા થયા છે. હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. ભારત ડિજિટલ ટ્રાન્ઝિક્શન (Digital transaction) કરવા વાળો દુનિયાનો સૌથી અગ્રણિ છે. કોરોના સમયમાં ડિજિટલ ભારતનાં અભિયાનમાં સામાન્ય માણસની ઘણી મદદ થઈ છે. હવે દેશનાં ગામોમાં શ્રેષ્ઠ ક્વાલિટી અને ઇન્ટરનેટ હોય.
વધુમાં તેમણે ખેડૂતો વિશે જણાવ્યુ કે, કાલે દેશનાં સંસદમાં દેશનાં ખેડૂતોને નવા અધિકાર આપવા વાળા ઘણાં ઐતિહાસિક કાયદાઓને મંજૂરી આપી છે. દેશનાં તમામ ખેડૂતોને શુભકામનાઓ આપું છું. તેમણે કહ્યુ કે, ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવનારાઓ માટે આ વ્યવસ્થામાં બદલાવ કરાયો છે અને આ બદલાવ અમારી સરકારે કરીને દેખાડ્યો છે. નવા કૃષિ સુધારાઓએ દેશનાં પ્રત્યેક ખેડૂતને આઝાદી આપી છે કે તે કોઈને પણ ક્યાંય પણ પોતાના પાકને પોતાની શરતો પ્રમાણે વેચી શકે છે. તેનાં પાસે હવે ઘણા વિકલ્પો છે જ્યાં તેને વધુ ભાવો મળે તે વેચી શકે છે. પીએમ મોદીએ અગાઉ પણ આ વિશે ભાર આપતા જણાવ્યુ હતુ કે, જે કૃષિ બિલ લાવવામાં આવ્યું છે તે ખેડૂતોના હિતમાં છે અને તે તેમના બચાવ માટે કામ કરશે. ખેડૂતોને તેમના પાકના વાજબી મૂલ્યની ચિંતા કરવા માટે કોઈ કારણ નથી