પયગંબર મોહમ્મદ વિશે વિવાદિત ટિપ્પણીને લઈને તોફાનો ફાટી નીકળ્યા છે આ દરમિયાન પ્રદર્શન, હિંસા, પથ્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ બનતા હવે સીએમ યોગી આદિત્યનાથે તોફાનીઓને સીધા કરવા પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ આપતા પોલીસ એક્શનમાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝારખંડના રાંચી અને પશ્ચિમ બંગાળના હાવડામાં તોફાનો કરનારાઓ સામે પગલાં ભરવામાં આવી રહયા છે.
પ્રયાગરાજમાં તોફાનીઓ દ્વારા પથ્થરમારો અને આગચંપી કરવામાં આઈજી સહિત 18 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. એસએસપી અને ડીએમ પણ ઘાયલ થયા. ઝારખંડની રાજધાની રાંચીમાં હિંસામાં 25 લોકો ઘાયલ થયા છે. પોલીસ ફાયરિંગમાં અહીં બેના પણ મોત થયા છે.
સમગ્ર શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
હાવડામાં આજે શનિવારે પણ તોફાનો ચાલુ રહયા હતા.
અહીં પથ્થરમારામાં 15થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાની ખબર છે.
પ્રયાગરાજ, સહારનપુર, મુદ્રાબાદ, હાથરસ, આંબેડકરનગર અને ફિરોઝાબાદમાં હિંસા બાદ રાજ્ય પોલીસ એક્શનમાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાઓને લઈને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી અત્યાર સુધીમાં 300થી વધુ બદમાશો ઝડપાયા છે. પ્રયાગરાજમાંથી 80, હાથરસમાંથી 55, ફિરોઝાબાદમાંથી આઠ, આંબેડકર નગરમાંથી 28ની ધરપકડ કરવામાં આવી છે. પાંચ હજારથી વધુ અજાણ્યા બદમાશો સામે FIR નોંધવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ, વીડિયો અને ફોટા પરથી તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
પ્રયાગરાજ હિંસાનો માસ્ટર માઈન્ડ મોહમ્મદ જાવેદ પણ ઝડપાઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બદમાશોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાશે. કાનપુરમાં 3 જૂને થયેલી હિંસાના મામલામાં પણ આવી જ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. અહીં હિંસાના મુખ્ય આરોપી ઝફર હયાતના નજીકના મોહમ્મદ ઈશ્તિયાકની ગેરકાયદેસર ઈમારત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.