CM Arvind Kejriwal Health: સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમને તિહાર જેલના નંબર 2માં રાખવામાં આવ્યા છે.
Arvind Kejriwal Health: દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે ધરપકડ બાદ કેજરીવાલે સાડા ચાર કિલો વજન ઘટાડ્યું છે. આ અંગે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે.
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, કેજરીવાલ ED કસ્ટડીમાં રહ્યા અને પછી કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ કેજરીવાલને તિહાર જેલમાં નંબર 2માં રાખવામાં આવ્યા છે.
વાસ્તવમાં, EDએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસીની તૈયારી અને અમલીકરણમાં થયેલી ગેરરીતિઓના મુખ્ય કાવતરાખોર છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું કહેવું છે કે આ સિવાય AAPના ઘણા નેતાઓ પણ સામેલ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આ કેસમાં જ જેલમાં છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને રાહત આપતા, તેમને મંગળવારે (3 એપ્રિલ, 2024) જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે AAPનું કહેવું છે કે તમામ આરોપો પાયાવિહોણા છે.
AAPએ શું કહ્યું?
દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ દાવો કર્યો હતો કે તેમની નજીકના વ્યક્તિએ તેમને કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાઈ જાય અથવા એક મહિનામાં ધરપકડ કરવા તૈયાર રહે.
તેણે વધુમાં કહ્યું કે મારા સિવાય સૌરભ ભારદ્વાજ, ધારાસભ્ય દુર્ગેશ પાઠક અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરવામાં આવશે.