ફરીથી એક વખત કોરોના કેસોમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,586 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 336 લોકોના મરણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 24 કલાકમાં નવા નોંધાયેલા કેસો ઉમેરીને દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 3,80,532 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાએ દેશમાં 12573 લોકોનો ભોગ લીધો છે.
આ સાથે જ કોરોનાના કુલ 380532 કેસોમાંથી 1,63,248 એક્ટિવ કેસો છે. જ્યારે 24 કલાકમાં 10386 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એટલે કે તેઓ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ દેશમાં કોરોના સામે જંગ જીતનારા લોકોનો આંકડો 2,04,711 પર પહોંચી ચૂક્યો છે.