કોરોના મહામારી ચાલી રહી છે તેથી હાલ ચૂંટણી ન યોજવામાં આવે તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની શક્યતાઓ છે.
સાથે કહ્યું છે કે કોરોના મહામારી કોઇ ચૂંટણીને અટકાવવાનું કારણ ન બની શકે. બિહારમાં બે મહિના પછી ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે. જેને લઇને ચૂંટણી પંચે કેટલીક ગાઇડલાઇન પણ જારી કરી દીધી છે.
આ સિૃથતિ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જે પીઆઇએલ દાખલ થઇ હતી તેની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે હજુસુધી બિહારમાં ચૂંટણી યોજવા અંગે કોઇ જ જાહેર નામુ નથી બહાર પાડયું, એવામાં આટલા વહેલા અને ઉતાવળમાં જાહેર હિતની અરજીમાં આ ચૂંટણીની તારીખ લંબાવવાની માગ કરવી યોગ્ય નથી.