નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો કે દેશમાં નફરત ફેલાવવા માટે ફેસબુક ભાજપાનો હથિયાર બની ગયું છે.
આ મુદ્દાને પ્રકાશિત કરવા માટે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે અમેરિકન ટેક કંપની દ્વારા ચૂંટણીમાં કથિત છેડછાડ કરવાનો આરોપ લગાવીને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસની માંગ કરી.
કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગે પ્રમુખ રોહન ગુપ્તાએ સંવાાદદાતાઓને કહ્યું, દેશમાં ફેસબુકનો ઉપયોગ 36 કરોડ લોકો કરે છે. આજે ભારતમાં નફરત ફેલાવવા માટે ફેસબુક ભાજપનું હથિયાર બની ચૂક્યું છે. ભાજપે ફેસબુકને હથિયાર બનાવીને નફરતનો વ્યાપાર કર્યો છે.
તેમને કહ્યું, અનેક રિપોર્ટો આવી ચૂક્યા છે કે ફેસબુક દ્વારા ફેલાવવામાં આવી રહેલા નફરત ભરેલા સંવાદ (હેટ સ્પીચ) અને સામગ્રી, ફેક ન્યૂઝને રોકવા માટે કારગર ઉપાયો કરવામાં આવ્યા નથી. આવી રીતની સામગ્રી ઓછી થવાની જગ્યાએ વધી ગઈ છે.
તેમને આરોપ લગાવ્યો, હિન્દી ભાષી પ્રદેશોમાં માત્ર નવ ટકા બજેટ હેટ સ્પીચ પર અંકુશ લગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો. ફેસબુક પોતાનો ઉપયોગ થવા દઇ રહ્યો છે. આ માત્ર સંયોગ નથી પરંતુ ભાજપાનો પ્રયોગ છે.
તેમણે કહ્યું કે ફેસબુક તરફથી સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ છે. ગુપ્તાએ કહ્યું, “અમે ફેસબુકના માલિકોને પત્ર લખ્યો છે કે તેઓ તેમના આંતરિક અહેવાલની અવગણના ન કરે, નક્કર કાર્યવાહી કરે.”
રોહન ગુપ્તાએ માર્ક ઝકરબર્ગને ફેસબુક ઈન્ડિયાની કામગીરીની આંતરિક તપાસ કરવા અને તારણો જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.
તેમણે માર્ક ઝકરબર્ગને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “આ સંસ્થાના વડા તરીકે તમારી જવાબદારી છે કે જેમણે અમારા લોકો સાથે વિશ્વાસઘાત કરનારાઓને તેમના કાર્યો માટે જવાબદાર ઠેરવવામાં આવે.
કોંગ્રેસે ઝકરબર્ગને ભારતમાં ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી ફેલાવવામાં આવી રહેલી હેટ સ્પીચ અને ફેક સમાચારોના આરોપોની સ્વતંત્ર તપાસ કરવાનું પણ કહ્યું.
તેમને લખ્યું, તે દૂર્ભાગ્યપૂર્ણ છે કે ફેસબુક 36 કરોડથી વધારે ગ્રાહકવાળા દેશમાં તમારા ઉપયોગકર્તાઓના જીવન અને સુરક્ષાની જગ્યાએ પોતાના વ્યાવસાયિક હિતોનો પક્ષ લઈ રહ્યો રહ્યું છે.
તો બીજી તરફ, કોંગ્રેસના ડેટા વિશ્લેષણ વિભાગના વડા પ્રવીણ ચક્રવર્તીએ કહ્યું, ‘આ મુદ્દાની તપાસ માટે જેપીસીની રચના થવી જોઈએ. સંસદીય સ્થાયી સમિતિએ ફેસબુકના લોકોને બોલાવવા જોઈએ જેથી કરીને તેની તપાસ થઈ શકે, જેમ કે યુએસ અને યુકે જેવા લોકશાહી દેશોમાં થયું છે.
તેમણે કહ્યું કે ફેસબુક અને વોટ્સએપ પર નફરત ફેલાવતી પ્રવૃત્તિઓને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ.
તેમણે પત્રકારોને કહ્યું, “આપણા દેશની એકતા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને બધાએ આને સમજવું પડશે અને સાથે મળીને લડવું પડશે.”
ગુપ્તાએ કહ્યું, “અમે ફેસબુકને માંગણી કરીએ છીએ કે છેલ્લા બે વર્ષમાં ફેસબુક દ્વારા ફેલાવવામાં આવી રહેલા નફરતભર્યા ભાષણની સ્વતંત્ર તપાસ થવી જોઈએ અને શા માટે ફેસબુકે અભદ્ર ભાષણની તપાસ માટે પોતાના બજેટમાં ઘટાડો કર્યો છે અને આ મુદ્દા પર પોતાના કર્મચારીઓ દ્વારા આંતરિક રૂપથી ઉઠાવેલા મુદ્દાઓ પર કાર્યવાહી કેમ કરી નથી.”
કોંગ્રેસના ટેક્નોલોજી અને ડેટા સેલના વડા ચક્રવર્તીએ કહ્યું કે આ મુદ્દો ખૂબ જ ગંભીર છે અને બધાએ મળીને તેની સામે લડવું પડશે.
એક આંતરિક અહેવાલના નિવેદનને ટાંકીને તેમણે કહ્યું કે પુલવામા આતંકવાદી હુમલા પછી ભારતમાં સરેરાશ ફેસબુક વપરાશકર્તાએ તેમના ફેસબુક એકાઉન્ટમાં મૃત લોકોની વધુ તસવીરો જોઈ છે જે તેમણે તેમના સમગ્ર જીવનકાળમાં ફેસબુક પર જોઈ હતી.