ભારતીય વાયુસેનાના વડા વીઆર ચૌધરી તામિલનાડુમાં ગઈકાલે ક્રેશ થયેલા હેલિકોપ્ટરના દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
બુધવારે થયેલી આ દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકો માર્યા ગયા હતા.
#WATCH | IAF chief Air Chief Marshal VR Chaudhari reaches the chopper crash site near Coonoor in Nilgiris district of Tamil Nadu
13 people including CDS General Bipin Rawat and his wife lost their lives in the accident on Wednesday. pic.twitter.com/djgoBu6Y4B
— ANI (@ANI) December 9, 2021
આ અકસ્માતમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ઘાયલ થયા છે અને તેમની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં અકસ્માત અંગે નિવેદન આપશે.
તો બીજી તરફ આ દુર્ઘટના અને CDS જનરલ રાવતના નિધન પર દુનિયાભરમાંથી શોક સંદેશો આવી રહ્યા છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે જનરલ રાવતે તેમની યુએન પોસ્ટિંગ દરમિયાન શાનદાર કામ કર્યું હતું.
ગુટેરેસે કહ્યું, “હું CDS જનરલ રાવત અને અન્ય 11 લોકોના મૃત્યુથી દુખી છું. હું તેમના પરિવારને શોક સંદેશ મોકલું છું. જનરલ રાવતે સંયુક્ત રાષ્ટ્રને પણ પોતાની સેવાઓ આપી હતી. તેઓ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં બ્રિગેડ કમાન્ડર હતા. તેમણે ત્યાં સારું કામ કર્યું અને અમે તેમના કામની પ્રશંસા કરીએ છીએ.”
Deeply saddened by the tragic demise of Gen Bipin Rawat, his wife, and several defence officials in a helicopter crash. My heartfelt condolences to the bereaved families & the Indian Armed Forces.
— Sher Bahadur Deuba (@SherBDeuba) December 8, 2021
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ ટ્વીટ દ્વારા CDS જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.