પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. હવે કૃષિ ધિરાણ પર પાક વીમો લેવો ફરજિયાત નહીં તથા સિવાય નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું 90 ટકા પ્રીમિયમ સરકાર આપશે. કેબિનેટે વ્યાજ સહાયતા યોજનામાં લાભને 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા શરુ કરવામાં આવેલી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ ઉઠાવ્યો છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં કુલ 13,000 કરોડ રુપિયાનો વીમો થયો હતો. જેમાંથી 7 હજાર કરોડ રુપિયા ક્લેમના રુપમાં આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે હિતૈષી કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા છે. મંત્રીમંડળે પાક વીમા યોજનામાં સંશોધનને મંજૂરી આપી છે. જેથી ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે.