નવી દિલ્હી : નાણાં મંત્રાલયના પ્રિન્સિપલ ઈકોનોમી એડ્વાઇઝર (પીઇએ) સંજીવ સન્યાલે જણાવ્યું હતું કે કોરોના સંકટ સાથે કામ કરવાનો ભારતનો માર્ગ અન્ય દેશો કરતા અલગ છે અને અમે ધીરે ધીરે રાહતનાં પગલાં લઈ રહ્યા છીએ. જરૂર પડે તો વધુ રાહત પેકેજોની જાહેરાત કરવામાં આવશે. અમે અર્થવ્યવસ્થા પહેલા આરોગ્ય કટોકટીને પ્રાધાન્ય આપ્યું છે.
જાણીતા મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સંજીવ સન્યાલે કહ્યું, ‘દરેકને ખબર છે કે લોકડાઉનથી અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું છે, ઘણા વ્યવસાય છે, જે દબાણ હેઠળ છે, આમાં કોઈ આશ્ચર્ય નથી. આપણા પીએમ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી)એ કહ્યું કે, આપણે સૌ પ્રથમ સ્વાસ્થ્ય ઇમરજન્સી પર ભાર મુકીશું, આ પછી આપણે અર્થતંત્રની કટોકટી જોઈ રહ્યા છીએ. અમે ધીમે ધીમે લોકડાઉન દૂર કરી રહ્યા છીએ.
ધીરે ધીરે વધુ પેકેજની જાહેરાત કરવામાં આવશે
સન્યાલે કહ્યું, ‘અમારો અભિગમ અન્ય દેશોથી જુદો છે. અન્ય દેશોએ મોટા ટ્રિલિયન ડોલર પેકેજ આપ્યા છે. અમે સિસ્ટમને કુશન આપ્યું છે. લોકોના ખિસ્સામાં સીધા પૈસા આપવામાં આવી રહ્યા છે. રિઝર્વ બેંકે રોકડ વધારવાનો પ્રયાસ કર્યો છે, તે એક પ્રકારનું કુશન છે, અમે ધીમે ધીમે અનેક પેકેજોની ઘોષણા કરીશું. અમે પરિસ્થિતિની ગંભીરતાને સમજીએ છીએ અને અમારી પાસે ફિઝિકલ અને મોનિટરી સંસાધનો છે.
જરૂર પડે તો મોરેટોરિયમ વધી શકે છે
તેમણે કહ્યું, ‘અમે એવા વાતાવરણમાં છીએ જ્યાં આગળ શું થશે તે વિશે કોઈ જાણતું નથી. આ ખૂબ જ મુશ્કેલ સમય છે. આપેલી લોન મોરટોરિયમ એ કુશનની જેમ જ છે. આ વધારી શકાય છે, અમારે પ્રતિક્રિયા લેવી પડશે અને પછી પગલું આગળ વધવું પડશે.