ડાકોર રણછોડજીનું મંદિર જન્માષ્ટમીના દિવસે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે ભગવાનના જન્મનો ઉત્સવ બંધ બારણે કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ ઉત્સવમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. ઉલ્લેખનીય છે કે સરકારી ગાઈડલાઈન પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી મંદિર બંધ છે. જન્માષ્ટમીએ શામળાજી મંદિર ખુલુ રહેશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે. મંદિરમાં મટકીફોડ અને અન્ય કાર્યક્રમ સહિત પ્રસાદ અને ભંડારો બંધ રખાશે. ભગવાનના જન્મ વખતે મંદિરમાં માત્ર સેવક અને પુજારીને પ્રવેશ મળશે.
Wednesday, May 8