Mallikarjun Kharge ખડગેનો આરોપ: “સરકાર દેશને ગેરમાર્ગે દોરી રહી છે, ઓપરેશન સિંદૂરની પણ કારગિલ જેવી તપાસ થવી જોઈએ”
Mallikarjun Kharge કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે મોદી સરકાર દેશના નાગરિકોને અંધકારમાં રાખી રહી છે અને સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને લઈ અનેક પ્રશ્નો ઊભા થાય છે. તેમણે કહ્યું કે જેમ કારગિલ યુદ્ધ બાદ તપાસ સમિતિનું ગઠન કરાયું હતું, તેમ ઓપરેશન સિંદૂર માટે પણ સમિતિ બનાવવી જોઈએ.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના નિવેદન બાદ સવાલો ઉઠ્યા
સિંગાપોરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણે જણાવ્યું કે ભારતે ભૂલોમાંથી શીખી લીધું છે અને હવે 300 કિલોમીટર અંદર સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આ નિવેદન પછી ખડગેએ સોશિયલ મીડિયા પર લખ્યું કે હવે અનેક સવાલો ઊભા થાય છે જેનો જવાબ દેશ જાણવો જોઈએ.
In the wake of the remarks made by the Chief of Defence Staff (CDS) in Singapore in an interview, there are some very important questions which need to be asked.
These can only be asked if a Special Session of the Parliament is immediately convened.
The Modi Govt has misled the…
— Mallikarjun Kharge (@kharge) May 31, 2025
ખડગેના મુખ્ય પ્રશ્નો
- ઓપરેશન સિંદૂરની તૈયારી કેટલી હતી? કેટલું નુકસાન થયું અને શું તેનો કોઈ અંદાજ હતો?
- ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની સાચાઈ શું છે? શું તેમણે ખરેખર યુદ્ધવિરામમાં ભૂમિકા ભજવી?
- યુદ્ધવિરામની શરતો શું છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે આ કરારની વિગતો જાહેર થવી જોઈએ.
પાકિસ્તાનના દાવાઓ સામે સવાલ
પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે 6 ભારતીય વિમાનો તોડી પાડ્યા છે, પરંતુ પુરાવા રજૂ કરવા માંડ્યા તો મંત્રીએ કહ્યું કે માહિતી સોશિયલ મીડિયામાં છે. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું કે એ એરબેઝ જેમના વિનાશનો દાવો થયો હતો, તેઓ અખંડ છે અને વડાપ્રધાન દ્વારા મુલાકાત લઈ સાબિત પણ થયું છે.
વિપક્ષની માંગ: સંસદમાં ખાસ સત્ર બોલાવવામાં આવે
ખડગેએ માંગ કરી કે સરકાર તાત્કાલિક સંસદનું ખાસ સત્ર બોલાવે અને આ મુદ્દા પર ખુલ્લી ચર્ચા થાય. તેમણે કહ્યું કે 140 કરોડ દેશભક્તોનું અધિકાર છે કે તેઓ સત્ય જાણે અને જો કોઈ ખોટું થયું હોય તો જવાબદારો સામે પગલાં લેવાઈ શકે.
સરકારની ભૂમિકા પર વીવાદ યથાવત
ભારત સરકારે અત્યાર સુધીમાં સ્પષ્ટતા કરી છે કે યુદ્ધવિરામનો નિર્ણય ડીજીએમઓ સ્તરે થયેલા સમ્વાદના આધારે લેવાયો હતો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને પાકિસ્તાનના ખોટા મિડીયા નાટકો વચ્ચે સરકારની જવાબદારી વધી છે કે સત્યની સામે ખુલાસો કરે.