કહેવા માટે 30 જાન્યુઆરી, 1948 નો દિવસ એ બાકીના વર્ષોનો એક દિવસ જ હતો, પરંતુ સાંજ સુધીમાં, તે ઇતિહાસનો સૌથી દુ:ખદ દિવસ બની ગયો. હકીકતમાં 30 જાન્યુઆરી 1948 ની સાંજે નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. જી હા એ જ વિવાદિત નથ્થુરામ ગોડસે જેને થોડા સમય પહેલા જ હાલમાં ભાજપના ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા દેશભક્ત તરીકે સંબોધીને વિવાદનો મધપુડો છેડ્યો હતો.
વિધિની વક્રતા જુઓ, મહાત્મા ગાંધી અહિંસાને પોતાનું સૌથી મોટું શસ્ત્ર બનાવીને અને અંગ્રેજોને દેશની બહારનો રસ્તો બતાવનાર મહાત્મા ખુદ જ હિંસાનો શિકાર બન્યા હતા. અને એ પણ જયારે તેઓ પ્રાર્થના માટે જી રહ્યા હતા.
તે જ સમયે, ગોડસેએ તેમને ખૂબ નજીકથી ગોળી મારી અને સાબરમતીના સંત ‘હે રામ’ કહીને આ દુનિયા છોડી ગયા. તેમના જીવનકાળ દરમિયાન તેમના વિચારો અને સિદ્ધાંતો માટે જાણીતા મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ તેમના મૃત્યુ પછી વિશ્વભરમાં વધુ આદર અને સન્માન સાથે લેવામાં આવે છે.