MT Yi Cheng 6: ઓમાન જતાં જહાજમાં આગ લાગતા INS તબરે યોદ્ધા બન્યો, ભારતીય નૌકાદળની દ્રૂત કામગીરી, આગ પર નિયંત્રણ માટે પ્રયાસ શરૂ
MT Yi Cheng 6: ઓમાન તરફ જતા MT Yi Cheng 6 નામના જહાજના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ. તાત્કાલિક ડિસ્ટ્રેસ કોલ મળતાં જ ભારતીય નૌકાદળનો સ્ટીલ્થ ફ્રિગેટ INS તબરે તાત્કાલિક સ્થળે પહોંચ્યો અને જહાજ પર લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી.
જહાજમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા અને તે ભારતના કંડલાથી ઓમાનના શિનાસ તરફ જઈ રહ્યો હતો. INS તબરે અગ્નિશામક ટીમો અને જરૂરી સાધનો હેલિકોપ્ટર અને બોટ દ્વારા જહાજ સુધી પહોંચાડ્યા. અત્યાર સુધીમાં 13 નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ સભ્યો આગ પર કાબૂ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું, “જહાજ પર લાગેલી આગને ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. INS તબરે સમયસર અને પ્રભાવશાળી જવાબ આપ્યો, જે જહાજ અને જહાજની ટીમને મોટી હાણીથી બચાવ્યું.”
Spokesperson of the Indian Navy tweets, “Indian Navy’s stealth frigate INS Tabar, mission deployed in the Gulf of Oman, responded to a distress call from Pulau-flagged MT Yi Cheng 6, on 29 June. The vessel with 14 crew members of Indian origin, transiting from Kandla, India, to… pic.twitter.com/edRyP4LsVb
— ANI (@ANI) June 30, 2025
આ બનાવ દરમિયાન ઓમાનના અખાતમાં ભારતીય નૌકાદળની ઝડપ અને અસરકારક કામગીરીના તસવીરો પણ સામે આવ્યા છે, જે તેમનાં સૈન્ય શક્તિ અને પ્રતિબદ્ધતાનું દિર્ઘદર્શક છે.