સાર્સ-કોવી-2 વાયરસ જે કોવિડ-19 બીમારી માટે જવાબદાર છે તે માનવ શરીરમાં લગભગ સમસ્ત અંગો પર ખરાબ અસર નાંખી શકે છે, એમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના (એમ્સ) નિષ્ણાતોએ કહ્યું હતું અને કેસોને હળવા, મધ્યમ અને ગંભીર વર્ગોમાં વહેંચવાની પદ્ધતિ પર ફરીથી વિચાર કરવા પર ભાર આપ્યો હતો.
ડૉ. રણદીપ ગુલેરિયા સહિત એમ્સના નિષ્ણાતોએ કોવિડ-19થી થતી વિવિધ શક્ય જટીલતાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં સામેલ નિષ્ણાતોએ એવા વિવિધ કેસોને ટાંક્યા હતાજેમાં દર્દીઓને એસિમ્પ્ટોમેટિક ઠરાવવામાં આવ્યા હતા પણ બાદમાં તેમનામાં ફેંફસાથી અલગ ગંભીર જીવ માટે જોખમી જટીલતાઓ વિકસીત થઈ હતી જેમ કે હાર્ટ અટેક અને હાર્ટ બ્લોક.
ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે માર્ચ મહિનામાં કોવિડ-19 મહામારી શરૂ થઈ હતી ત્યારબાદથી આ વાયરસ અંગે ઘણી બધી વાતો જાણવા મળી છે જે મુજબ સમય સમય પર વ્યૂહમાં ફેરફાર કરાયા છે. આપણે જેને એક વાયરલ ન્યૂનોનિયા માનતા હતા તેમાં ફેંફસાથી વધુ કેટલીક અન્ય જટિલતાઓ આવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘આપણે એવા દર્દીઓ પણ જોયા છે જેમનામાં ફેંફસાથી સંબધિત લક્ષણ નથી હોતા પણ તેનાથી અલગ લક્ષણ હોય છે.એમ્સના એક અન્ય પ્રોફેસર ડો. નીરજ નિશ્ચલે કહ્યું હતું, ‘જે વાયરલ ન્યૂમોનિયા તરીકે શરૂ થઈ હતી તે હવે બહુ-પ્રણાલીગત બીમારી બની છે. કોવિડ-19ના દર્દીઓેને હળવા, મધ્યમ અને ગંભીર તરીકે વર્ગીકૃત કરવાની પદ્ધતિ પર ફરીથી વિચાર કરવો જોઈએ અને તેમાં ફેંફસા ઉપરાંત અન્ય અંગોને પણ સામેલ કરવા જોઈએ.