ઉત્તર તેલંગાણામાં આવેલા સિરિકિલા જીલ્લાના સોમઈપિતા ગામની છે. સાસુ થોડા દિવસ પહેલાં કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તમનો ચેપ ઘરમાં બીજા કોઈને ના લાગે આથી તેમનું રહેવાનું અને ભોજન અલગ રાખ્યું હતું. ઘરનાં લોકોનું વર્તન બદલાઈ જતા અને સાસુ એકલા પડી જતા તેમણે પોતાની વહુને પણ ચેપ લગાડી દીધો.હેલ્થ અધિકારી સાથે વાતચીત દરમિયાન પુત્રવધૂએ કહ્યું, ઘરનાં લોકો સાસુથી સોશિયલ ડિસ્ટન્સ રાખતા હતા તે તેમને ગમતું નહોતું. તેઓ તેમના પૌત્રોને પણ રમાડી શકતા નહોતા અને અમારા કોઈ સાથે બેસીને ભોજન પણ કરી શકે તેમ નહોતા. તેઓ બોલ્યા કે તને પણ કોરોના વાઈરસનો ચેપ લાગવો જોઈએ એમ કહીને જબરદસ્તી મને ગળે વળગી પડ્યા. કોરોના પોઝિટિવ થયા પછી તેમની સાથે કોઈ વાત નહોતું કરતું તે તેમને ગમતું નહોતું.ગળે વળગીને સાસુએ તેની વહુને કહ્યું, ‘હું મરી જઈશ તો તમે લોકો શું કરશો? તમે પછી પણ ખુશ થઈને રહેશો?’ પરિવારનાં અન્ય લોકોનું વિચારીને જ સાસુમાને અલગ રાખવામાં આવ્યા હતા પણ તેમના ગુસ્સાનો ભોગ નિર્દોષ વહુને બનવું પડ્યું.
