વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે 72 વર્ષના થશે. તેઓ પોતાના જન્મદિવસ પર આજે ચાર મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સંબોધન કરશે. સૌથી પહેલા PM શનિવારે જ નામીબિયાથી 8 ચિતાઓના આગમનના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરશે.
આ સિવાય પીએમ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સંબોધિત કરશે. શનિવારે જ ભાજપ સેવા અભિયાન પખવાડિયાની શરૂઆત કરશે. તેમના જન્મદિવસ પર, PM 70 વર્ષ પહેલા લુપ્ત જાહેર કરાયેલ ચિત્તાને ભારતમાં લાવવાના પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કરશે.
નોંધનીય છે કે નામીબિયાથી આઠ ચિત્તાઓને શનિવારે જ કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવી રહ્યા છે. પીએમ પોતે તેમને રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડશે. આ વિષય પર રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણ પર વાત કરશે.
રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ પીએમ મધ્યપ્રદેશમાં સ્વ-સહાય જૂથોના સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ ફરી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ITIના વિદ્યાર્થીઓના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધશે. આ કાર્યક્રમમાં લગભગ 40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. તે જ દિવસે સાંજે, પીએમ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ લોન્ચ કરતી વખતે તેમના મંતવ્યો પણ રજૂ કરશે.