વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની શરૂઆત કર્યા પછી લગભગ એક લાખ લોકોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ મોબાઈલ ફોન પર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંક દ્વારા ડાઉનલોડ થઈ શકશે. પીએમ મોદી એ કહ્યું કે,હવે તમારી સંપત્તિ પર કોઈ ખરાબ નજર નહીં નાંખી શકે.
આ દરમિયાન આ કાર્ડ મેળવનારા લોકોએ કહ્યું કે, સંપત્તિ કાર્ડ મળવાથી તેમને સામાજિક અને આર્થિક મજબૂતાઈ મળી છે. પીએમ સાથે વાતચીતમાં કાર્ડધારકોને કહ્યું કે, આ કાર્ડ દ્વારા તેમને બેન્કમાંથી સરળતાથી લોન મળવા લાગી છે, યોજનાથી ગામમાં રહેતા લોકોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે, આજે તમારી પાસે એક અધિકાર છે, એક કાયદાકીય દસ્તાવેજ છે તમારું ઘર તમારું જ છે અને તમારું જ રહેશે. આ યોજના થી દેશના ગામમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે
વડાપ્રધાન મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાના લોન્ચ દરમિયાન 1 લાખ પ્રોપર્ટી હોલ્ડર્સને મોબાઇલ પર લિંક મોકલવામાં આવશે. આ લિંકની મદદથી તે પોતાના પ્રોપર્ટી કાર્ડને ડાઉનલોડ કરી શકશે. આ પછી રાજ્ય સરકાર તરફથી ફિઝિકલ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. 6 રાજ્યોના 763 ગામના લાભાર્થીઓ માટે આ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44 અને ઉત્તરાખંડના 50 તથા કર્ણાટકના બે ગામ સામેલ છે.
