મોદીના મનકી બાત કાર્યક્રમ પરથી લોકોનો રસ ઓછો થચો જાય છે. કેટલાય વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા હતા કે, વડાપ્રધાન મોદી આજે મન કી બાતમાં કોરોનાકાળ વચ્ચે થઈ રહેલી વિવિધ પરીક્ષાઓની આસપાસ ચાલી રહેલા વિવાદ વિશે વાત કરશે, પરંતુ વડા પ્રધાને તેમના સંબોધનમાં આ મુદ્દો છોડી દીધો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા હોય તેવુ લાગી રહ્યુ છે. જે નિરાશા આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં લાઈકની જગ્યાએ ડિસલાઈકની સંખ્યા વધતી જાય છે.
જો કે, હાલમાં સૌથી મોટો સળગતો પ્રશ્ન કહી શકાય તે છે એન્જીનિયરીંગ અને મેડિકલની પરીક્ષાનો મુદ્દો છે. ત્યારે આ મુદ્દા પર વડાપ્રધાન મોદીને એક શબ્દ પણ બોલવાનું યાદ નહોતું આવ્યું. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને તેમના શિક્ષણ પર પડી રહેલી અસર જોવા જઈએ તો, આ મુદ્દા પર પ્રાથમિકતા આપી શક્યા હોત. પણ આ મુદ્દાને વડાપ્રધાન મોદીએ છોડી દેતા હજારો વિદ્યાર્થીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.