વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી. તેઓ પાલમ એરપોર્ટ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ પીએમ મોદીએ CDSને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ પણ હાજર હતા. તેમજ પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દરેકની આંખો ભીની રહી હતી.
CDS જનરલ બિપિન રાવતનું પાર્થિવ દેહ પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તે પછી થોડીવારમાં વડાપ્રધાન મોદી પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
Prime Minister Narendra Modi pays last respects to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the #TamilNaduChopperCrash yesterday. pic.twitter.com/QT3JHKTedq
— ANI (@ANI) December 9, 2021
ઉલ્લેખનિય છે કે, ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેમની પત્ની સહિત વધુ 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા.