લોકડાઉનના સમયમાં પણ કેટલાક લોકો છે જે લોકડાઉનને ગંભીરતાથી લઇ રહ્યાં નથી. જેના કારણે પીએમ મોદીએ ટ્વિટ પર લોકોને અપીલ કરી છે કે, ‘લોકડાઉનને ગંભીરતાથી લો અને પોતાના સ્વાસ્થ્યનું પોતે ખ્લાલ રાખો.’
PM મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે- લોકડાઉનને હજું પણ કેટલાક લોકો ગંભીરતાથી લઇ રહ્યાં નથી. કૃપા કરીને પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોથી મારો અનુરોધ છે કે, તેઓ નિયમો અને કાનૂનોનું પાલન કરાવે.
આનાથી પહેલા 22 માર્ચે પીએમ મોદીની અપીલ પર આખા દેશમાં લોકોએ જનતા કર્ફ્યૂનું પાલન કરતાં સવારે સાત વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી ઘરોમાં કેદ રાખ્યા હતા. જોકે, કેટલાક લોકો રસ્તાઓ પર જશ્ન મનાવતા નજરે પડ્યા હતા. જોકે, ગંભીરતાને જોતા રાજ્ય સરકારઓ કેટલાક શહેરોને બધી જ રીતે લોકડાઉન કરી દીધા છે.