ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન થયું છે. સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલે આ પહેલા કહ્યું હતુ કે પ્રણવ મુખર્જીની સ્થિતિ ચિંતાજનક છે અને હજુ તેમને વેન્ટિલેટર પર જ રાખ્યા છે. છેલ્લા એક ્ઠવાડિયાથી તેમની સ્થિતિમાં કોઈ સુધાર દેખાતો નહોતો. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિના દિકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પિતાના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. નોંદનીય છે કે બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર હતી. વર્ષ 2012થી 2017 સુધી પ્રણવ મુખર્જી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા.