દિલ્હીમાં વધતા પ્રદુષણને લઇને ઉત્તરીય દિલ્હી નગરનિગમ હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રદુષણ ફેલાવનારી 63 ફેક્ટરીઓને સીલ કરી છે. આ ફેક્ટરીઓ પ્રતિબંધ છતાં કામ કરીને પ્રદુષણ ફેલાવતી હતી. તંત્ર હાલ આવી ફેક્ટરીઓની ઓળખ કરી રહી છે. દિલ્હીના બીદોપુરા અને રૈગપુરમાં ચોરીછૂપીથી ચલાવવામાં આવતી 103 ફેક્ટરીઓની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી 63ને સીલ કરવામાં આવી જ્યારે 40ને શો કોઝ નોટીસ આપવામાં આવી છે.
જે એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે તે એકમો વાયુ પ્રદુષણ ફેલાવતા હતા. આ પહેલા પણ તંત્રએ 32 યુનિટ્સને ઝડપ્યા હતા જેની સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઓક્ટોબરમાં પણ ફેક્ટરીઓ અને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા જેમાં પ્લાસ્ટીક, રબર અને કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.