આસામમાં પૂરનો કહેર યથાવત છે. પૂરને કારણે આસામના 29 જિલ્લામાં 7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને પીડિત લોકોની મદદ કરવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને આ અપીલ કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે આસામમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. હું કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને બચાવ અને રાહત કામગીરીમાં શક્ય તમામ મદદ ચાલુ રાખવા વિનંતી કરું છું.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે આસામના 29 જિલ્લામાં પૂરથી 7,17,046 લોકો પ્રભાવિત થયા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. ઓથોરિટીએ કહ્યું કે રાજ્યના હજારો ગામો પાણીમાં ડૂબી ગયા છે. નાગાંવ જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. નાગાંવમાં પૂરથી 2.88 લોકો પ્રભાવિત થયા છે. તે જ સમયે, કચરમાં લગભગ 1.25 લાખ લોકો અને હોજાઈમાં 1.07 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.