જમવા જવાથી અને શરાબના પીઠાઓમાં જવાથી પણ કોરોનાવાયરસનો ચેપ લાગવાનો ભય રહેલો છે એમ અમેરિકાની ૧૧ આઉટપેશન્ટ હેલ્થ કેર સવલતોમાં કરવામાં આવેલ અભ્યાસમાં (Research) જણાયું છે. આમાં જણાયું હતું કે રેસ્ટોરાંમાં જનાર, પીઠાઓમાં જનાર કે કોફી શોપમાં જનારાઓને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આ માટે આ સ્થળોની બંધ રચના અને હવાની યોગ્ય અવરજવરનો અભાવ અને વધુ પડતી ભીડ જેવા કારણો જવાબદાર હોય છે.રેસ્ટોરાંમાં જમવા ગયેલા પુખ્ત વયના લોકોમાં નેગેટિવ ટેસ્ટ (Negative Test) રિઝલ્ટ આવવાના પ્રમાણ કરતા પોઝિટિવ રિઝલ્ટ આવવાનું પ્રમાણ બેગણું જણાયું હતું.
આ સંશોધન યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ અને પ્રિવેન્શન્સ મોર્બિડીટી એન્ડ મોર્ટાલિટી વીકલી રિપોર્ટ જનરલમાં પ્રકાશિત થયો છે જે મુજબ રેસ્ટોરાંમાં જમવા ગયેલા પુખ્ત વયના લોકોમાં નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટ આવવાના પ્રમાણ કરતા પોઝિટિવ રિઝલ્ટ આવવાનું પ્રમાણ બેગણું જણાયું હતું. આ અભ્યાસ માટે વૈજ્ઞાનિકો દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડાઓમાં જૂની આરોગ્ય તકલીફો, લક્ષણો, શારીરિક અને માનસિક આરોગ્ય વગેરે બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આમાં નિકટના સંપર્કમાં કેટલો સમય રહેવાથી ચેપ લાગવાનું જોખમ વધી જઇ શકે તેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં જણાયું હતું કે રેસ્ટોરાંમાં જનાર, પીઠાઓમાં જનાર કે કોફી શોપમાં જનારાઓને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આ માટે આ સ્થળોની બંધ રચના અને હવાની યોગ્ય અવરજવરનો અભાવ અને વધુ પડતી ભીડ જેવા કારણો જવાબદાર હોય છે.