મ્યાનમારમાં થયેલી હિંસાના મુદ્દે રોહિંગ્યા સંગઠને અમેરિકા અને બ્રિટનમાં સોશિયલ મીડિયા કંપની ફેસબુક સામે કેસ કર્યો છે. આ કેસમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકને રોહિંગ્યાઓના નરસંહાર માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. ફેસબુક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફેસબુકની બેદરકારીના કારણે રોહિંગ્યાઓ સામેની હેટ સ્પીચ વાયરલ થઈ હતી.
કેસ કરનાર રોહિંગ્યાઓના સંગઠનોએ ફેસબુક પાસે કુલ 150 અબજ ડોલર એટલે કે 11.30 લાખ કરોડનુ વળતર માંગ્યુ છે. અમેરિકાની કોર્ટમાં થયેલા કેસમાં કહેવાયુ છે કે, મ્યાનમારના માર્કેટમાં પકડ જમાવવા માટે ફેસબુકે જાણી-જોઈને રોહિંગ્યાઓના જીવનો સોદો કર્યો હતો. ફેસબુક ધાર્યું હોત તો રોહિંગ્યાઓ સામેની હેટ સ્પીચનો પ્રસાર રોકી શકી હોત પણ કંપનીએ કોઈ કાર્યવાહી કરી નહતી.
દરમિયાન બ્રિટનમાં પણ રોહિંગ્યાઓના વકીલે ફેસબૂકને લખેલા પત્રમાં કહેવાયુ છે કે, રોહિંગ્યાઓના પરિવારોને મ્યાનમારમાં ગંભીર હિંસાનો સામનો કરવો પડ્યો હતો. 2011માં મ્યાનમારમાં ફેસૂબકને લોન્ચ કરવામાં આવી હતી . રોહિંગ્યાઓના વિરૂદ્ધ સામેના અભિયાનમાં ફેસબુકના કારણે મદદ મળી હતી.