દેશમાં ભલે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મામલે ચર્ચા ચાલી રહી હોય પરંતુ મધ્ય પ્રદેશમાં શ્રીલંકમાં સીતા મંદિરના નિર્માણ અંગે રાજકારણ ગરમાયું છે. શિવરાજ સરકાર દ્વારા શ્રીલંકામાં સીતા મંદિર બનાવવાના નિર્ણય અંગે વર્તમાન કમલનાથ સરકારે સવાલ ઉભા કર્યા છે. ત્યાંજ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી મોકલીને સર્વે કરાવશે કે માતા સીતાનું અપહરણ થયું હતું કે નહીં!
શિવરાજ સરકારે વર્ષ 2010માં શ્રીલંકામાં એ જગ્યાએ સીતા મંદિર બનાવવાની જાહેરાત કરી હતી જ્યાં રાવણે તેમને બંધક બનાવીને રાખ્યા હતા. તેમણે આ મંદિરના નિર્માણ માટે એક કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ ગયા નવ વર્ષોમાં મંદિર નિર્માણ મામલે કાંઇ કામ થયું નથી. જેથી વર્તમાન રાજ્ય સરકાર એક અધિકારીને શ્રીલંકા મોકલવાની તૈયારીમાં છે. જો કે અધિકારી શ્રીલંકા માટે રવાના થયા તે પહેલા જ આ મામલે રાજકારણ ગરમાયું છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કમલનાથ સરકારના અધિકારી શ્રીલંકા જઇને સર્વે કરશે કે માતા સીતાનું અપહરણ થયું હતું કે નહીં. મિત્રો આનાથી વધારે રમૂજી વાત કઇ હશે? સમગ્ર વિશ્વ જાણે છે આની તપાસ કરાવવાની વાત કરીને કમલનાથ સરકાર કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
ત્યાંજ રાજ્ય સરકારના મંત્રી શર્માએ અધિકારીને શ્રીલંકા મોકલવાના સરકારના નિર્ણયની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, લોકો તેમના વખાણ કરે તેના માટે શિવરાજ સિંહે શ્રીલંકાની યાત્રા કરી હતી અને જ્યાં રાવણે સીતાને બંધક બનાવ્યા હતા ત્યાં મંદિર બનાવવાની વાત કરી હતી. પરંતુ એક પણ ફાઇલ એવી મળી નથી જેમાં મંદિર નિર્માણના પ્રયાસનો ઉલ્લેખ હોય. જો કે કમલનાથ સરકારે રામપથ ગમનનું કામ શરૂ કર્યું છે જ્યાંથી લોકો પસાર થઇ શકશે.