ઓડિશાના મલકાનગિરીમાં થયું, જ્યાં એક વ્યક્તિએ બીમાર સ્ત્રીને ઇલાજ માટે ભૂંડનું મળ ખવડાવ્યું. હકીકતમાં, આઝાદીના 70 વર્ષ પછી, ભારતના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધા અસ્તિત્વમાં છે. મળતી માહિતી મુજબ, મલકાનગિરીમાં બિમાર મહિલાને ઇલાજ કરવા માટે બ્લેક મેજિકનો આશરો લેવામાં આવ્યો હતો. બ્લેક મેજીક કરનારો એક શખ્સે કથિત રૂપે છોકરીને ઇલાજ કરવાનો અને શરીરમાંથી દુષ્ટ આત્માઓ કાઢવાનો દાવો કરતા પહેલા તેને માર માર્યો હતો અને ત્યારબાદ સારવારના નામે ભૂંડનું માંસ ખવડાવ્યું હતું. કથિત રીતે મહિલા એક અઠવાડિયાથી વધુ સમયથી બીમાર હતી. શરીરમાં દુષ્ટ આત્માઓના પ્રવેશની આશંકાએ, ગ્રામજનોએ સ્થાનિક સ્તરે મદદ માંગી અને તેને તાંત્રિક પાસે લઈ ગયા. સારવારના નામે, તાંત્રિકે માત્ર ભૂંડનું માંસ ખાવાની ફરજ ન પાડી, પરંતુ તેનું મળ પણ ખવડાવ્યુ હતું. તાંત્રિકે યુવતિની સામે મંત્રોચ્ચાર કર્યા અને અન્ય ધાર્મિક વિધિઓ કર્યા પછી કહ્યું કે તેણીની ઉપર ભૂતનો ઓસાયો છે, જેનો ઈલાજ ભૂંડના મળ દ્વારા જ કરી શકાય છે. આ ઉપરાંત સારવાર દરમિયાન અનુષ્ઠાનની પ્રક્રિયાઓમાં પીડિતાને માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના ચહેરા પર ઉઝરડા દેખાવા લાગ્યા હતા. આ ઘટના રવિવારની છે, જોકે પીડિતાની તબિયત લથડતાં તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આવા વિસ્તારો નક્સલવાદી અસરગ્રસ્ત છે અને સારા રસ્તાઓ અને હોસ્પિટલોનો અભાવ છે. આવા વિસ્તારના લોકો માટે પાયાની તબીબી સુવિધા પણ નથી. આદિવાસી વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓને સારવાર માટે ખાટલા પર લઈ જવાની ઘટના સામાન્ય છે. મલકાનગિરી જિલ્લાના એસપી ઋષિકેશ ખિલારીએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ ચાલી રહી છે. અમે મહિલા સાથે સંપર્કમાં છીએ. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ માટે એક ટીમ બનાવવામાં આવી છે જે આરોપીઓને શોધી રહી છે.
Tuesday, May 7