તબલીઘી જમાતના પ્રમુખ મૌલાના સાદની ધરપકડ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે સાદ અને એફઆઈઆરમાં જે લોકોના નામ છે તેની વિરુદ્ધ સબુતો એકત્રિત કર્યા છે, હવે તેમની કોઈ પણ જગ્યાએ પુછપરછ થઈ શકે છે. બ્રાન્ચ તેમની ટીમમાં ડોક્ટરોને પણ સામેલ કરશે. જેનાથી મોલાના તપાસમાં મેડિકલ કારણોને ટાકીને બહાના ન બનાવી શકે. પહેલા તમામ આરોપીઓની અલગ-અલગ પુછપરછ થશે. પછીથી તેમને સામ-સામે બેસાડીને પુછપરછ કરવામાં આવશે.
દિલ્હીના નિજામુદ્દીન મરકઝમાં 1થી 15 માર્ચ દરમિયાન થયેલા કાર્યક્રમમાં દેશ-વિદેશના 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા, જોકે આમ છતા પણ અહીં લગભગ 2000 લોકો રોકાયા હતા. જોકે મોટાભાગના લોકોડાઉન પહેલા જ તેમના ઘરે પરત ફર્યા હતા. મૌલાના પર આ આયોજનમાં સામેલ લોકોને કોરોના બાબતે ગેરમાર્ગે દોરવા અને લોકોના જીવને ખતરામાં મૂકવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચ અત્યાર સુધીમાં બે વખત નોટિસ ઈસ્યુ કરી ચૂક્યું છે.