છોટાઉદેપુરના ચિચોડ ગામમા એક યુવાનની કુવામાંથી લાશ મળતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ યુવાન પોતાના ઘરેથી છેલ્લા ચાર દિવસથી નિકળ્યો હતો. આ બનાવને લઈ પોલીસે તપાસ કરતા યુવકની હત્યા હોવાનું સામે આવતા આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચિચોડ ગામમા એક કુવામાથી ગામનાં જ એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમા મ્રુતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ચાર દીવસથી ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફરેલા યુવાન મુકેશ રાઠવાનો મૃતદેહ મળતા ગામમા ચકચાર મચી ચુકી છે. મુકેશ રાઠવાની હત્યાના સગડ મેળવવા પોલિસે હાથ ધરેલી તપાસમાં પોલિસને પણ ચોંકાવનારી વિગતો મળી હતી.પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, ચાર વર્ષ પુર્વે મુકેશ રાઠવાની તેનાજ મોટા કાકાના દીકરા શંતિલાલની પત્ની સાથે આંખો મળી ગઇ અને મુકેશ રાઠવાએ ત્રણ સંતાનોની માતા એવી પોતાની કૌટુમ્બિક ભાભી સાથે અનૈતિક સમ્બંધ બનાવ્યો હતો. આ સંબધોની પરિવારજનોને જાણ થઈ હતી જેથી આ યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે.
વધુમાં પોલીસે જણાવ્યું છે કે, માતાનુ આવસાન થયા બાદ મ્રુતક મુકેશ અને તેના પિતા સાથે રહેતા હતા તો મુકેશનો મોટો ભાઇ તેની પત્નિ સાથે જુદો રહેતો હતો. ત્યારે પોતાના યુવાન દીકરાની હત્યા કરાયાનુ સામે આવતા મ્રુતક મુકેશના વ્રુદ્ધ પિતાને એકલવાયું જિવન જિવવાનો વારો આવ્યો છે, અને પોતાના દીકરાની હત્યા કેમ કરાઇ તેવો સવાલ કરી રહ્યા છે. મુકેશને માર મારી મોત્ને ઘાટ ઉતારનાર પરણિતાના ભાઇ જયદીપ, તેના પિતા જયંતિ ભાઇ અને કાકાના દીકરા ભરતની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી જેલ ના શળીયા પાછળ ધકેલી દીધા છે.