નિર્ભયા ગેંગરેપનાં ચાર આરોપીમાંથી ઓછામાં ઓછા બેને ફાંસી આપવા માટે સરકારની તરફથી દાખલ કરવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં રવિવારની બપોરે વિશેષ સુનાવણી થશે. સરકારની તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયાધીશને જણાવ્યું કે નિર્ભયાનાં નરાધમો દેશનાં ધૈર્યની કસોટી કરી રહ્યા છે. ‘
વર્ષ 2012નાં રોજ નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં ચાર આરોપીઓને ફાંસીની સજા પર રોક લગાવવાળી ટ્રાયલ કોર્ટનાં આદેશને પડકારતાં તિહાડ જેલનાં અધિકારીઓએ શનિવારનાં રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ અરજીની તત્કાલિકનાં ધોરણે સુનવાણી માટે ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેલ સત્તાવાળાઓએ શુક્રવારનાં (31 જાન્યુઆરી) નિર્ણયને પડકાર ફેંક્યો છે. જેમાં આગળનાં આદેશ સુધી દોષિતોને ફાંસીની સજા પર તામિલને આગમી આદેશ સુધી સ્થગિત રાખાવામાં આવ્યા છે. આ નરાધમોને શનિવાર (1 ફ્રેબ્રુઆરી)નાં રોજ ફાંસી આપવાની હતી.
નિર્ભયા કેસના દોષીઓની ફાંસીની તારીખ ફરી એકવખત ટાળવામાં આવી છે. નિર્ભયા કેસના દોષીઓને હવે તારીખ 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી નહોતી અપાઈ. પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ સુધી ફાંસી પર રોક લગાવી છે. સુનાવણી દરમિયાન તિહાર જેલે કોર્ટને કહ્યું કે, જો ઈચ્છો તો નક્કી કરવામાં આવેલી તારીખ પર 3 દોષીઓને ફાંસી આપી શકાય છે. બીજી બાજુ નિર્ભયાની માતા તરફથી વકીલે દલીલ કરતા કહ્યું કે, દોષીઓ ફાંસીથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે.