ભારતીય જીવન વીમા નિગમ LIC ફરી એક વખત સંકટમોચક સાબિત થઈ છે. એલઆઈસીએ રેલ વિકાસ નિગમ RVNLમાં 8.72 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. RVNLમાં સરકારે 15 ટકા ભાગીદારી વેચવાની જાહેરાત કરી હતી. સ્ટોક એક્સચેન્જો દ્વારા દેવામાં આવેલી જાણકારી પ્રમાણે રેલ વિકાસ નિગમે જણાવ્યું કે, એલઆઈસીએ ખુલ્લા બજાપમાં સોદા દ્વારા તેના 18.18 કરોડ રૂપિયાના શેર ખરીદી લીધા છે. જે આ સમયે કુલ શેરોના આશરે 8.72 ટકા થવા જાય છે.ઉલ્લેખનીય છે કે, ભારતીય જીવન વીમા નિગમે આ મામલામાં સરકાર માટે સંકટમોચકની જેમ જોવા મળી હતી. જ્યારે કોઈ સરકારી કંપનીને ટેકાની જરૂરત હોય છે ત્યારે તે શેર ખરીદવા માટે આગળ આવે છે. તેના પહેલા ઘણી સરકારી કંપનીઓમાં એલઆઈસીની જરૂરત પડવા ઉપર ભાગીદારી ખરીદી હતી.RVNLની રચના વર્ષ 2003માં રેલ મંત્રાલયના 100 ટકા સ્વામીત્વવાળા સાર્વજનિક કંપનીના રૂપમાં થઈ હતી. તેનું કામ રેલવેના મહત્વપૂર્ણ ભાહોનું નિર્માણ માટે બજેટ સિવાય સંશોધન કરવુ અને તે પ્રોજેક્ટને લાગુ કરવાનું કામ છે.
