મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે ચાલી રહેલા રસાકસી વચ્ચે મહારાષ્ટ્રનાં પરભણી (Parbhani)થી શિવસેના સાંસદ સંજય જાધવ (Sanjay Jadhav)એ લોકસભાની સદસ્યતાથી રાજીનામુ આપી દીધુ છે. પરભણી જિલ્લાનાં જિંતુર તાલુકા (Jintur taluka) નગરપાલિકામાં કોંગ્રેસની દખલગીરીનાં કારણે સંજય જાધવે રાજીનામુ આપ્યુ છે. સંજય જાધવે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને પત્ર લખીને જણાવ્યુ કે, હું શિવસેના કાર્યકર્તાઓ સાથે ન્યાય કરવામાં અસમર્થ છું.
સંજય જાધવે જણાવ્યુ કે, પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે ન્યાય ન કરી શકવાના કારણે મને સાંસદ હોવાનો કોઈ અધિકાર નથી. હું ગત 10 મહિનાથી પરભણીનાં જિંતુર નગરપાલિકાનાં પ્રશાસક તરીકે મામલાને જોઈ રહ્યો છું. હવે એનસીપીનાં એક વ્યક્તિને ગેર-સરકારી પ્રશાસક સ્વરૂપે નિમણૂક કરવામાં આવી છે, જે શિવસેનાનાં કાર્યકર્તાઓનું અપમાન છે.
મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે અગાઉ પણ પ્રશાસનિક નિમણૂકને લઈને મતભેદ ઉભા થઈ ચૂક્યા છે. અગાઉ આઈપીએસ અધિકારીની બદલીને લઈને બંને પાર્ટીઓ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. આ મામલે એનસીપી પ્રમુખ શરદ પવારે 6 જુલાઈએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત પણ કરી હતી અને તે સમયે જણાવાયુ હતુ કે બંને પાર્ટીઓ વચ્ચે મુંબઈમાં આઈપીએસ અધિકારીઓનાં બદલીને લઈને મદભેદ છે.
જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં ગૃહમંત્રાલય NCP પાર્ટી પાસે છે એવામાં મુંબઈમાં પોલીસ અધિકારીઓનાં બદલી માટેનાં તમામ નિર્ણયો ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) દ્વારા લેવામાં આવે છે. જ્યાં શિવસેના ઈચ્છે છે કે કોઈ પણ પ્રકારે બદલીની માહિતી તેમની પાસે હોવી જોઈએ. મહારાષ્ટ્રમાં 2 જુલાઈએ બહાર પાડેલા ટ્રાંસફર ઓર્ડરમાં ડીસીપી (DCP)ને જોન અને ક્રાઈમ અને એમાંથી અમુકને નોન એગ્ઝિક્યુટિવ બ્રાંચમાં ટ્રાંસફર કરવામાં આવ્યા હતા. જો કે મુંબઈ પોલીસ ઓફિસે ટ્રાંસફર ઓર્ડર (Transfer order) ને પલટવાનો હુકમ બહાર પાડ્યો છે.
જણાવી દઈએ કે શિવસેના અને NCP વચ્ચે રાજ્યમાં ઘણાં જિલ્લાઓમાં પદો અને નિમણૂક માટે રસાકસીનો માહોલ છે અને ફરિયાદ આવી રહી છે. બંને પક્ષો વૈચારિક સ્વરૂપે એક બીજાનાં વિરોધી રહ્યા છે. ગત વર્ષે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની વિધાનસભા ચૂંટણી પછી ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ અને એનસીબી સાથે મળીને ગઠબંધન કર્યુ હતુ.