દેશમાં કોરોનાના ચેપના વધતા કેસ વચ્ચે એક વાર આવતીકાલથી ફરી ટ્રેન પાટે ચઢી રહી છે અને રેલવે સોમવાર 1 જૂનથી 200 નવી સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવા જઇ રહી છે. રેલવે દ્વારા રવિવારે કહેવાયું હતું કે તેઓ 1લી જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું શરૂ કરી રહ્યા છે. પહેલા દિવસે જ 1.45 લાખ કરતાં વધુ મુસાફરો તેમાં પ્રવાસ કરશે.ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર દરેક મુસાફરે એન્ટ્રી અને એક્ઝિટ પર ફરજીયાત સ્ક્રિનિંગ કરાવવું પડશે.
રેલવે દ્વારા એવું પણ કહેવાયું છે કે 1લી જૂનથી 30મી જૂન સુધીમાં અંદાજે 26 લાખ મુસાફરોએ એડવાન્સ રિઝર્વેશન પિરીયડ માટે પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે. રેલવેના જણાવ્યા અનુસાર 12મીમેથી શરૂ કરાયેલી 15 જોડી શ્રમિક સ્પેશિયલ અને એસી સ્પેશિયલ ટ્રેન સાથે આ વધારાની ટ્રેનો દોડશે. આ ટ્રેનો માટે 21મી મેથી જ ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવાયું હતું. કોરોનાના ચેપને ધ્યાને લઇનેં મુસાફરોને તકેદારી રાખવા માટે કહેવાયું છે.