આજથી ગુજરાત સહિત દેશભરમાં અનલોક 3ની અમલીકરણ શક્ય બનશે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે અનલોક-3ની જાહેર કરેલી ગાઈડલાઈન્સ સંદર્ભે એક બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકાર અભ્યાસ કર્યો હતો, અને તેમાં જરૂરી સુધારા વધારા કરીને રાજ્યની પરિસ્થિતિ આધીન નિયમો બનાવ્યા હતા. અને ત્યારબાદ રાજ્યમાં શું ખોલવાના અને શું બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 1 ઓગસ્ટથી અનલોક-3 લાગુ થવા જઈ રહ્યું છે. રાજ્યમાં કેટલાક સુધારા વધારા સાથે કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે.
