કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રૂપિયા સરકાર દ્વારા સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. નવમો હપ્તો ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવનાર છે, તો તમારે ફટાફટ લિસ્ટમાં તમારું નામ ચેક કરી લેવુ જોઈએ કે તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં-અત્યાર સુધીમાં દેશના 10.90 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળ્યો છે. 137192 કરોડ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે. સરકારે અત્યાર સુધીમાં લાભાર્થીઓના ખાતામાં 8 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. 8 મા હપ્તામાં, સરકારે લગભગ 9.5 કરોડ ખેડૂતો માટે 20 હજાર કરોડ રૂપિયા જારી કર્યા હતા.જમીનના રેકોર્ડ તપાસ્યા બાદ, ખેડૂતો દ્વારા અરજીમાં અટેચ કરેલા જમીનના દસ્તાવેજો તપાસવામાં આવે છે. જો આ સાચું જણાય તો ખેડૂતોના નામ કિસાન સન્માન નિધિ પોર્ટલ પર લાભાર્થીઓની યાદીમાં ઉમેરવામાં આવે છે. પોર્ટલ પર ખેડૂત પરિવારનું નામ નોંધાવવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે. લાભાર્થીઓની યાદીમાં નામ નોંધાયા બાદ જ પીએમ સમ્માન યોજનાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.જણાવી દઇએ કે સરકારી કર્મચારીઓ અથવા આવકવેરો ભરતા ખેડૂતોને પાત્ર ગણવામાં આવતા નથી. આ સિવાય 10 હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવતા ડોકટરો, એન્જિનિયરો, સીએ અને કર્મચારીઓ પણ આ યોજનામાં જોડાઈ શકતા નથી.
Sunday, May 5