રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હનુમાન નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના અમરવાસી ગામમાં હોળી નિમિત્તે પિતાએ તેની પત્ની અને દિકરાને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. આ અંગેની માહિતી મળતા અમરવાસી ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં સનસની મચી ગઈ હતી. માહિતી મળતા જ હનુમાનનગર પોલીસ સ્ટેશને મૃતદેહોને કબજે કર્યા હતા અને દેવલી હોસ્પિટલની મોર્ચરીમાં રાખ્યા છે. ઘટના પાછળ કયાં કારણો જવાબદાર હતાં એ અંગે જાણકારી મળી શકી નથી. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ લીધો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દારુના નશામાં હતો. પત્નીને ઘરનો દરવાજો ખોલવામાં વાર લાગતી તેની હત્યા કરી હતી. બચાવા આવેલા પુત્રને પણ તેણે મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે બન્નેની હત્યા છેલબિહારીએ કોઈ વસ્તુથી પ્રહાર કર્યો. આરોપીએ પોતાના જ ઘરમાં આ ઘટનાને અંજામ આપ્યો છે.બન્નેના માથાના ભાગ પર ગંભીર ઈજાના નિશાન મળ્યા છે. બન્ને ઉપર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા દર્શાવવામાં આવી છે.
