એક બાજુ કોરોના મહામારીથી પરિસ્થિતિ બગડી રહી છે તો બીજી બાજુ લોકો જાતે સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે અને મોતના મુખમાં જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં કડક લોકડાઉનને કારણે દારૂના વેચાણ પણ બંધ છે. આવી સ્થિતિમાં વ્યસની લોકો દારુના બદલે સેનિટાઇઝરથી નશો કરવાની મત મારી ગઈ. તેઓએ દારુ પાર્ટી કરીને સેનિટાઇઝર પીધું. આ પછી એક પછી એક સાત લોકોનાં મોત થયાં છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના યવતમાલ જિલ્લાના વાણી શહેરની છે. લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો ન ખુલતાં દારુના વ્યસનીઓએ પાર્ટી કરીને સેનિટાઈઝર પી લીધું છે. શહેરમાં અત્યાર સુધીમાં સેનિટાઇઝર પીવાના કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના દર્દીઓ હોવાથી, કડક લોકડાઉન થવાને કારણે દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી વ્યસનીઓને મુશ્કેલી પડી. કામ ધંધાઓથી નવરાશની પળમાં ગપ્પા મારતા એક મિત્રએ દારુડિયાને કહ્યું કે, 30 મિલી લિટર સેનિટાઈઝર પીવાથી એક ક્વાર્ટરનો નશો થાય છે. તે પછી તો કહેવું જ શું? તે બધાએ ભેગા મળીને પાંચ લિટર સેનિટાઇઝરનું કેન જ ખરીદી લીધું અને મહેફિલ જમાવી. સાત લોકોએ વારંવાર સેનેટાઈઝરનો ડોઝ લીધો. અને થોડાક જ સમયમાં તેમની હાલત બગડવા લાગી. અને એક પછી એક સાતેય લોકોના મોત થયા.પોલીસે આ વ્યસનીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ સંબંધીઓને સોંપી દીધા હતા. કેટલાક વ્યસનીઓનું પોસ્ટ મોર્ટમ કર્યા વિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Friday, May 3