ભારતમાં છેલ્લા કેટલાક સપ્તાહથી કોરોના વાઈરસના રોજના સરેરાશ 7-8 લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ કોરોના ટેસ્ટોમાં સૌથી વધુ સંખ્યા એન્ટીજન ટેસ્ટની છે અને મોટાભાગના રાજ્યો RT-PCR ટેસ્ટની સરખામણીમાં હવે એન્ટીજન ટેસ્ટ પર ભાર મૂકી
તો ચાલો જાણીએ આખરે શું હોય છે આ એન્ટીજન ટેસ્ટ? તે કેટલા વિશ્વાસપાત્ર હોય છે? અને રાજ્ય કેમ તેના પર આટલો ભાર મૂકી રહ્યાં છે?
RT-PCR ટેસ્ટની જેમ એન્ટીજન ટેસ્ટમાં પણ એ તપાસી શકાય છે કે, શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યક્તિના શરીરમાં કોરોના વાઈરસ છે કે કેમ?
જો કે RT-PCR ટેસ્ટમાં વ્યક્તિના નાક કે ગળામાંથી લીધેલા સેમ્પલમાં કોરોના વાઈરસના જીનેટિક મટિરિયલની ઉપસ્થિતિની તપાસ કરવામાં આવે છે. જ્યારે એન્ટીજન ટેસ્ટમાં કોરોના વાઈરસના ઉપર કે અંદર રહેનાર પ્રોટીનની ઉપસ્થિતિની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં સેમ્પલને લેબમાં નથી મોકલવા પડતા.