માં નર્મદા રથનું પ્રસ્થાન કરાવશે તથા કંડલા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
તા.૦૬-૦૯- ૨૦૧૭ના રોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા એક દિવસના કચ્છ
જિલ્લાના પ્રવાસે આવનાર છે. આ દરમ્યાન તેઓ જુદા-જુદા કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રથમ કાર્યક્રમમાં સવારે ૧૦.૦૦ કલાકે ભૂજ ટાઉન હોલ ખાતે આયોજીત ‘‘માં નર્મદા મહોત્સવ’’ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ‘નર્મદા રથ’ને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા પોર્ટ પર કામકાજમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પોર્ટના ઉપયોગકર્તાઓનું સન્માન કરવા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તથા પોર્ટના મહત્વનાં પ્રોજેકટનું શિલાન્યાસ પણ કરશે.