એલ. શિવરામકૃષ્ણને વર્ષો બાદ ખોલ્યા ક્રિકેટ જગતના કાળા પાસા, ડ્રેસિંગ રૂમમાં જ થયા હતા રંગભેદનો શિકાર

3 Min Read

એલ. શિવરામકૃષ્ણનનો ચોંકાવનારો ખુલાસો: પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાં નસ્લવાદનો ભોગ બન્યા હતા

ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને તાજેતરમાં પોતાના જીવનના સૌથી કાળા અને પીડાદાયક અનુભવો વિશે મૌન તોડ્યું છે. 1982-83ના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાં તેમની સાથે થયેલા નસ્લવાદી વ્યવહાર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, તે સમયે તેઓ એટલી હદે તૂટી ગયા હતા કે તેમને મરી જવાનું મન થતું હતું. માત્ર 17 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવનાર આ ખેલાડી માટે તેમનો જન્મદિવસ એક દુઃસ્વપ્ન બની ગયો હતો.

જન્મદિવસની ઉજવણી બની અપમાનજનક ક્ષણ

શિવરામકૃષ્ણને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં યાદ કર્યું કે જ્યારે તેઓ પાકિસ્તાન પ્રવાસ પર હતા, ત્યારે ટીમે તેમનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. પરંતુ જ્યારે તેમને કેક કાપવા માટે બોલાવવામાં આવ્યા, ત્યારે એક સાથી ખેલાડીએ અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી હતી. તે ખેલાડીએ સુનીલ ગાવસ્કરને ઉદ્દેશીને કહ્યું હતું કે, “અરે સની, તમે સાચા રંગની કેક મંગાવી છે. એક શ્યામ છોકરા માટે આટલી ઘેરી ચોકલેટ કેક!” આ સાંભળીને શિવરામકૃષ્ણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા અને ગાવસ્કરે તેમને શાંત પાડ્યા બાદ જ તેમણે આંખમાં આંસુ સાથે કેક કાપી હતી.

- Advertisement -

 sav.jpg

બાળપણથી જ વેઠ્યું અપમાન

આ કોઈ પહેલી ઘટના નહોતી. શિવરામકૃષ્ણને જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા, ત્યારે એક વરિષ્ઠ ભારતીય બેટ્સમેને તેમને મેદાનનો કર્મચારી સમજીને પોતાના બૂટ સાફ કરવા કહ્યું હતું. ઘરેલું ક્રિકેટમાં તમિલનાડુના ડ્રેસિંગ રૂમમાં તેમને ‘કરુપા’ (કાળો) કહેવામાં આવતો, જ્યારે ઉત્તર ભારતમાં મેચ રમતી વખતે ભીડ ‘કાલિયા’ના નારા લગાવીને તેમનું અપમાન કરતી હતી. મુંબઈની એક હોટલમાં તો ગેટકીપરે તેમને ભારતીય ખેલાડી માનવાનો જ ઇનકાર કરી દીધો હતો અને એક કલાક સુધી બહાર ઉભા રાખ્યા હતા.

- Advertisement -

માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર અને આત્મહત્યાના વિચારો

આ સતત થતા અપમાનને કારણે શિવરામકૃષ્ણના આત્મસન્માન અને આત્મવિશ્વાસને ઊંડી ઈજા પહોંચી હતી. તેમણે સ્વીકાર્યું કે તેઓ એટલા ડિપ્રેશનમાં આવી ગયા હતા કે અરીસામાં પોતાનો ચહેરો જોવાનું પણ ટાળતા હતા. આ માનસિક આઘાતને કારણે તેમને આત્મહત્યાના વિચારો પણ આવતા હતા. તેમણે જણાવ્યું કે, “ક્યારેક આઈપીએલ દરમિયાન દુબઈમાં મુસાફરી કરતી વખતે જ્યારે ગાડી ખૂબ ઝડપે ચાલતી, ત્યારે મને થતું કે દરવાજો ખોલીને બહાર કૂદી જાઉં.”

sav1.jpg

અનિદ્રા અને ડરામણા સપનાઓ

આ નસ્લવાદી અનુભવોએ તેમની ઊંઘ પણ છીનવી લીધી હતી. શિવરામકૃષ્ણને વર્ણવ્યું કે જ્યારે પણ તેઓ આંખો બંધ કરતા, તેમને ડરામણા દ્રશ્યો દેખાતા હતા. આ માનસિક ત્રાસ એટલો ભયાનક હતો કે તેઓ ઊંઘવા ઈચ્છતા હોવા છતાં સૂઈ શકતા નહોતા. આજે 60 વર્ષની ઉંમરે આ વાતો શેર કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે રમત ગમતની દુનિયામાં માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક મજબૂતી કેટલી જરૂરી છે અને નસ્લવાદ કેવી રીતે એક ખેલાડીની કારકિર્દી અને જીવનને બરબાદ કરી શકે છે.

- Advertisement -
TAGGED:
Share This Article