હેલ્થ ડેસ્ક : એલોવેરા એક એવો છોડ છે જે દરેક ઘરમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે. જેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા છે. એલોવેરાનો ઉપયોગ કરવાથી પેટ અને ત્વચા સંબંધિત સમસ્યા દૂર થાય છે. અહીં એલોવેરા જ્યૂસના ફાયદા જણાવવામાં આવ્યા છે.
એલોવેરા જ્યૂસ
એલોવેરા જ્યૂસ બનાવવા માટે ચપ્પાથી એલોવેરાની છાલ કાઢી લો અને જેલને ગ્રાઈન્ડરમાં કાઢો. જેલને 2 થી 3 મિનિટ સુધી ગ્રાઈન્ડ કરો. તમે તેમાં સ્વાદ માટે મધ અને લીંબુ ઉમેરી શકો છો. હવે એલોવેરા જ્યૂસ તૈયાર છે. એલોવેરા જ્યૂસને આ રીતે જ ફ્રેશ પી લો.
એલોવેરા જ્યૂસના ફાયદા
– નિયમિત રૂપે એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં બ્લડ સેલ્સમાં વધારો થાય છે, જેનાથી લોહીની ઊણપ એટલે કે એનીમિયાથી રાહત મળી શકે છે.
– નિયમિત રૂપે એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર થઈ જાય છે. આ જ્યૂસનું સેવન કરવાથી પેટ સાફ થાય છે તથા ત્વચા સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
– જો તમને એસિડીટી કે કબજિયાતની સમસ્યા રહે છે, તો સવારે એલોવેરા જ્યૂસનું સેવન કરો. જે તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે.
– રોજ સવારે એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
– સામાન્ય તાવમાં એલોવેરા અસરકારક સાબિત થાય છે. એલોવેરાના મૂળથી ઉકાળો બનાવો. દિવસમાં બે થી ત્રણ વાર 10-20 મિલીગ્રામ ઉકાળો પીવો.
– નિયમિતરૂપે સવારે એલોવેરા જ્યૂસ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
– એલોવેરા જ્યૂસમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે, જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. નિયમિત આ જ્યૂસનું સેવન કરવાથી માથાનો દુખાવો અને તણાવથી પણ રાહત મળે છે.
– એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી વધતા વજનથી રાહત મેળવી શકાય છે. આ જ્યૂસ તમારી ચરબી ઓગાળવામાં મદદ કરે છે, જેનાથી વજન ઓછુ થાય છે.