Skin Care:સોશિયલ મીડિયા પર ફેલાતી ત્વચા સંબંધિત ખોટી માન્યતાઓ અને તેની પાછળનું સત્ય
Skin Care: ત્વચાને ચમકદાર બનાવવા માટે આજે ઘણા પ્રકારના મોંઘા ઉત્પાદનો અને ઘરેલું ઉપચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. સાથે સાથે, ત્વચાના ગ્લો વિશે કેટલીક એવી માન્યતાઓ પણ પ્રચલિત છે, જે પર લોકો સરળતાથી વિશ્વાસ કરી બેસે છે. પરંતુ શું આ માન્યતાઓ ખરેખર સત્ય છે? ચાલો જાણીએ ત્વચાની ચમક સાથે સંબંધિત કેટલીક મહત્વની માન્યતાઓ અને તેની પાછળનું હકીકત:
1. મોંઘા ઉત્પાદનો જ ત્વચાને ચમકદાર બનાવે છે?
આ માન્યતા સંપૂર્ણ ખોટી છે. ત્વચા માટે યોગ્ય અને સતત સંભાળ મહત્વપૂર્ણ છે, જેમાં સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને યોગ્ય હાઇડ્રેશનનો ખાસ ભાગ હોય છે. મોંઘા ઉત્પાદનો મદદરૂપ થઇ શકે છે, પણ સ્વસ્થ જીવનશૈલી વગર ત્વચા ચમકવી મુશ્કેલ છે.
2. ચમકદાર ત્વચાનો અર્થ ગોરી ત્વચા?
આ માન્યતા પણ ખોટી છે. ત્વચા ચમકવાનો અર્થ એ નથી કે તે ગોરી હોવી જોઈએ. ચમકતી ત્વચા તંદુરસ્ત, સમતોલ રંગની અને સારી રીતે હાઇડ્રેટેડ ત્વચા હોય છે, જે કોઈપણ રંગની હોઈ શકે છે.
3. વારંવાર ચહેરો ધોવો તો ત્વચા ચમકે?
ઘણા લોકો એવો ભ્રમ રાખે છે કે વધારેવાર ચહેરો ધોવાથી ત્વચા વધારે સ્વચ્છ અને ચમકદાર રહે. પરંતું, ત્વચાની કુદરતી ભેજ ઓછી થવાથી તે શુષ્ક અને સંવેદનશીલ થઈ શકે છે. ફેસવોશનો ઉપયોગ દિવસમાં બે વારથી વધુ ન કરવો.
4. ફક્ત ક્રીમ લગાવવાથી ત્વચા ચમકી શકે?
ક્રીમ અને સ્કિનકેર ઉત્પાદનો ત્વચાની દેખરેખ માટે મદદરૂપ થઈ શકે છે, પણ ત્વચાની અંદરથી સંભાળ લેવા માટે યોગ્ય આહાર અને જીવનશૈલી વધારે મહત્વપૂર્ણ છે. વિટામિન A, C, E અને ઓમેગા-3 ફેટી એસિડસથી ભરપુર ખોરાક ખાવા જોઈએ.
5. ઘરેલું ઉપચાર હંમેશા સલામત અને અસરકારક?
ઘરેલું ઉપચાર સરળ અને પરંપરાગત હોય છે, પરંતુ દરેક પ્રકારની ત્વચા માટે તે યોગ્ય ન હોઈ શકે. લીમડું, બેકિંગ સોડા, ટામેટા જેવી વસ્તુઓથી ત્વચા પર દૂષ્પરિણામ પણ થઈ શકે છે. પેચ ટેસ્ટ કર્યા વિના કોઈપણ ઉપચાર ન કરવો.
ત્વચાની ચમક માટે મોંઘા ઉત્પાદનો કે સોશિયલ મીડિયા પર પ્રચલિત ટ્રીટમેન્ટ્સની સાથે સાથે જીવનશૈલીમાં ફેરફાર આવશ્યક છે. ત્વચા માટે સંતુલિત આહાર, પૂરતું પાણી પીવું અને યોગ્ય સંભાળ સૌથી મોટા હથિયાર છે. આ સાથે, કોઈ પણ ઉપચાર કે પ્રોડક્ટ ઉપયોગ કરતા પહેલા ત્વચા પ્રકારને ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે.