[slideshow_deploy id=’36819′]આજે ભારત બંધના એલાનને પગલે મોરબીમાં દલિત સમાજ દ્વારા વીસી ફાટક અને નટરાજ ફાટકે ચક્કાજામ સર્જી દલિતો પર અત્યાચાર બંધ કરોના નારા લગાવાયા હતા.
ભારત બંધના એલાનને પગલે આજે મોરબી વિસી ફાટક પાસે દલિત આગેવાનો દ્રારા કરાયો ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને દલિત પર થતા અત્યાચાર બંધ કરોના નારા સાથે મહિલાઓ પણ ચક્કાજામમાં જોડાઈ હતી.
વધુમાં ચક્કાજામને પગલે ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને દલિત સમાજના આગેવાનો સાથે વાતચીત કરી ટ્રાફીક કિલ્યર કરાયો હતો.
દરમિયાન કેટલાક લોકો દ્વારા મોરબી શહેરની જુદી – જુદી બજારમાં નીકળી ધંધા રોજગાર બંધ કરાવવા સુત્રોચાર કર્યા હતા.