મોરબી નજીકના પંચાસર ગામે ધોળે દિવસે ફાયરીંગનો બનાવ નોંધાયો હતો જેમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એકનું કરુણ મોત નીપજ્યું હતું.
મોરબી તાલુકના પંચાસર ગામે આજે બપોરના સુમારે આજે કોઈ કારણોસર ફાયરીંગ કરવામાં આવ્યું હતું જે ફાયરીંગની ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં સારવાર મળે તે પૂર્વે જ સહદેવસિંહ ઝાલા નામના શખ્સનું મોત થયું હતું જયારે અન્ય ઈજાગ્રસ્તો રસિકબા ઝાલા અને પરાક્રમસિંહ ઝાલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. ફાયરીંગને પગલે પોલીસવડા ઉપરાંત એલસીબી, એસઓજી અને પોલીસનો કાફલો દોડી ગયો હતો અને રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પીટલે એકઠા થયા હતા.જોકે ફાયરીંગ ક્યાં કારણોસર કરાયું તે સત્તાવાર જાણી સકાયું નથી જોકે ગામમાં ચર્ચા મુજબ ફાયરીંગ જૂની અદાવત મામલે થયાનું જાણવા મળ્યું હતું પણ હાલ આ અગે પોલીસે કઈ પણ કેહવાનું ટાળ્યું છે પણ બીજી કોઈ માથાકૂટ ન થાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે આ ઘટનામાં સહદેવસિંહ ઝાલાનું મોત થયું છે