મોરબીમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા નિપજાવનાર આરોપી ને પોલીસ દ્વારા કોર્ટ માં રિમાન્ડ ની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો.. કોર્ટ દ્વારા આ આરોપીની ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવી છે.
મોરબીના જેતપર રોડ પર સિરામિક ફેકટરીમા રહેતા શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા નિપજાવનાર બિહારી શખ્સ સુરજ ગોરેલાલ ચૌહાણની ધરપકડ કરીને પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બાદમાં પોલીસે આ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આ નરાધમના ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.