મોરબી જિલ્લાના હળવદ અને મોરબી પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને હળવદના મયુર નગરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે વીજળી પડતા એક સાત વર્ષના બાળક અને એક મહિલાનું મૃત્યુ થયું હતું.
મળતી વિગત મુજબ મોરબી જિલ્લના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળો ઘેરાયા હતા.વાતાવરણમાં અચાનક પલટો આવતા હળવદ તોફાની વાવાઝોડા જેવા પવન ફુકાયો બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.
હળવદમાં જોરદાર પવન ફુકવાની સાથે ઝાપટું પડ્યું હતું તો હળવદના પ્રતાપગઢ રોડ પર સીમાબહેન વિષ્ણુભાઈ કવાડીયા(ઉ.૨૫) અને ભાણેજ મેહુલ ઈશ્વરભાઈ તડવીર(ઉ.૫) લાકડા લેવા ગયેલ હોય દરમિયાન મામી-ભાણેજ માથે વીજળી પડતા બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યું હતું.સીમાબહેનનું મૃત્યુ થતા ૨ સંતાનોએ માતાનો છત્રછાયા ગુમાવી છે તો મામી-ભાણેજના મૃત્યુ તથા પરિવારજનોમાં ભારે શોખ વ્યાપી ગયો છે.તેમજ ભાણેજ મેહુલ પોતાના મામા ઘરે વેકેશન કરવા ગયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.