ધુળેટીના તહેવાર પર લોકો રંગો ઉડાડી ઉજવણી કરતા હોય છે. પણ છેલ્લા થોડા વર્ષોથી હાનીકારક રંગો દ્વારા કરવામાં આવતી ઉજવણીને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોચે છે. જેને ધ્યાને લઈને રાજકોટ બાદ મોરબીમાં પણ જાહેરમાં રંગો ઉડાડવા પર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
પરંતુ છતાંપણ અનેક યુવાનો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોવાથી પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.ધુળેટીનો ઉત્સવ પૂર્ણ થયા બાદ કેટલાક દિવસો સુધી માર્ગો પર રંગોના ઢગલે-ઢગલા જોવા મળે છે અને તે ઉડતી ડામરીઓથી પ્રજાજનો બીમારીમાં સપડાય છે.તો આ મામલે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા જેને ધ્યાને લઈને મોરબી જીલ્લા કલેક્ટરે દ્વારા જાહેર માર્ગો પર કલર ઉડાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.છતાં મોરબીના રસ્તાઓ પર યુવાનો દ્વારા હાનિકારક રંગોના કોથળાઓ ભરીને જાહેરમાં અજાણ્યા લોકો પર પણ રંગો ઉડાડતા હોવાથી પોલીસે તેવા યુવાનોને જાહેરમાં ઉઠબેસ કરાવીને તેમના જ રંગો તેમની પર જ ખાલી કરવામાં આવ્યા હતા.